• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • Ayurvedic: ધોનીના ઘુંટણની જડ્ડીબુટ્ટીથી સારવાર, આ આયુર્વેદ વૈદ્યની ફી માત્ર રૂ.40..

Ayurvedic: ધોનીના ઘુંટણની જડ્ડીબુટ્ટીથી સારવાર, આ આયુર્વેદ વૈદ્યની ફી માત્ર રૂ.40..

01:34 PM August 07, 2022 admin Share on WhatsApp



Ayurvedic: દુનિયાને તેમની બેટિંગથી દિવાના બનાવનાર મહેન્દ્ર સિંહ ધોની જૂન મહિનામાં ઘૂંટણના દુખાવાથી પરેશાન હતા. કેપ્ટન કૂલ તેમની સારવાર વિદેશ કે દેશની કોઈ મોટી હોસ્પિટલમાં નથી કરાવતા, પરંતુ ઝારખંડના જંગલમાં બનેલા એક નાનકડા આશ્રમમાં કરાવ્યો હતો. અને આ વૈદ્યની આયુર્વેદિક દવા લઈ રહ્યા છે, જેની ફી માત્ર 40 રૂપિયા છે.

પાટનગર રાંચીથી 70 કિમી દૂર લાપુંગના જંગલ વિસ્તારમાં રહેતા વૈદ્ય વંદન સિંહ ખેરવાર તેમની સારવાર કરી રહ્યા છે. અંદાજે એક મહિનાથી તેઓ આ દવા લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ધોની દર 4 દિવસે તેમની પાસે આવી છે અને જડીબુટ્ટીવાળી દવાથી સારવાર કરાવી રહ્યા છે.

►પહેલીવાર તો ધોનીને ઓળખી જ નહોતા શક્યા: વંદન
વૈદ્યે જણાવ્યું હતું કે જ્યારે ધોની પહેલીવાર તેમની પાસે આવ્યા ત્યારે હું તેમને ઓળખી જ નહોતો શક્યો, સાથે આવેલા લોકોએ પરિચય કરાવ્યો, ત્યારે અહેસાસ થયો કે આમને તો ટીવી સ્ક્રીન પર બેટ ઘુમાવતા જોયા છે. ધોની જ્યાં જાય ત્યાં ભીડ ભેગી થઈ જાય છે, તેથી વૈદ્ય તેમને આશ્રમમાં અંદર લઈ જઈને સારવાર કરે છે.

►ધોનીને કેલ્શિયમની અછત
તેમણે કહ્યું હતું કે ધોનીએ ડિટેલ્સમાં તેમની પીડા જણાવી છે. ધોનીને બંને ઘૂંટણમાં ખૂબ દુખાવો થાય છે. વૈદ્ય વંદનના જણાવ્યા પ્રમાણે, ધોનીને ઘૂંટણમાં કેલ્શિયમની કમી છે. સારવાર માટે તેમને જડીબુટ્ટીવાળી દવા દર 4 દિવસે આપવામાં આવે છે.

►40 રૂપિયા આપીને ધોની સારવાર કરાવે છે
વૈદ્ય વંદને જણાવ્યું હતું કે તેઓ ફી તરીકે માત્ર 20 રૂપિયા લે છે. એ સાથે જ જરૂર પડે તો દવાના અલગથી રૂ. 20 લે છે. તેમણે સ્માઈલ આપતાં કહ્યું હતું કે ધોની એક ઈમાનદાર દર્દીની જેમ તેમના 40 રૂપિયા જાતે જ આપી દે છે. ગઈ વખતે 26 જૂને તેમની પાસે દવા લેવા આવ્યા હતા.

►ધોનીનાં માતા-પિતા પણ લઈ ચૂક્યા છે આ દવા
તેમણે દાવો કર્યો છે કે ધોનીનાં માતા-પિતા પણ અહીંની દવા લઈ ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે ધોનીના બંને ઘૂંટણમાં દુખાવો છે અને તેઓ છેલ્લા 3 મહિનાથી દવા લઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે તેમનાં માતા-પિતાને દવાથી ફાયદો થતાં ધોની પણ તેમની પાસે દવા લેવા આવે છે.

►સેલ્ફી લેવા લોકોની ભીડ
વૈદ્ય વંદને જણાવ્યું હતું કે ધોની જ્યારે પણ આવે છે ત્યારે લોકો તેમની સાથે ફોટો પડાવવા માટે ભેગા થઈ જાય છે, એટલે જ તેઓ જ્યારે પણ આવે છે ત્યારે ગાડીની બહાર નથી નીકળતા. તેમને દવા ગાડી સુધી પહોંચાડવામાં આવે છે. જોકે અમુકવાર તેઓ પણ ગાડીમાંથી બહાર આવીને ગામના લોકો સાથે ફોટા પડાવે છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર

  • 24-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin
  • Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી
    • 19-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us